ગુજરાત સરકારને વિધ્યાર્થીનો ધર્મ અને સમાજ શા માટે જાણવું છે ?

હાલમાં છેલ્લા કેટલાય સમય થી સોસિયલ મીડિયામાં એક મેસેજ ફરતો વાઇરલ થયો હતો જેમાં કે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 અને 12 ના વિધાર્થી ની ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તેમની ધાર્મિક ઓળખ અને તેઓ કયા લઘુમતી સમાજ માથી આવે છે તેવું જણાયું હતું જે સમગ્ર મુદો હવે હાઇકોર્ટમાં પહોચ્યો હતો અને હાઈકોર્ટે ગુજરાત સરકાર ને આ બાબતે ફટકાર લગાવી હતી. જાહેરહિતની અરજીમાં કહેવાયું છે કે ખાસ કરીને રાજ્યમાં ધોરણ 10-12ના મુસ્લિમ વિદ્યાર્થીઓનું ધર્મના આધારે વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે.વળી અરજીમાં કહેવાયું છે કે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ પાસે આધારકાર્ડની વિગતો પણ માંગી છે, જે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન છે.