આદિપુરમાં પ્લોટની બાઉન્ડ્રી અર્થે બબાલ: 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આદિપુરના મણીનગરમાં પ્લોટ પર બાઉન્ડ્રી વોલના કામકાજનું મનદુખ રાખી યુવકને મારમારાયો હોવાની ઘટના આદિપુર પોલીસ મથકે નોંધાઈ છે.

આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં કરન પ્રેમભાઈ થાવાણીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, 29-12ના ફરિયાદીને તેમના સ્ટાફના વસંતભાઇનો ફોન આવેલ અને તેમણે જણાવ્યુ હતું કે, તમારા મણિનગરવાળા પ્લોટ પર ઇબ્રાહિમ પારા, વસીમ અને એક શખ્સ પ્લોટ પર વોલનું કામ બંધ કરવાનું કહી ગાળાગાળી કરેલ છે.તેથી ફરિયાદી પોતાની પત્ની તનીષા, પોતાના મેનેજર ભીખારામ સોલંકી તથા અશોક સેનમાં મણીનગર પ્લોટ ગયા હતા. તે સમય દરમિયાન આશરે પોણા પાંચેક વાગ્યાના અરસામાં ઇબ્રાહિમ બાવલા પારા ,વસીમ તથા એક અજાણ્યા શખ્સ સાથે આવ્યા અને ફરિયાદીની પત્નીને ગાળો બોલવા લાગ્યા હતા. ઉપરાંત ફરિયાદી સાથે ઝપાઝપી કરી વસીમ ઇબ્રાહિમ પરાએ લાકડાના ધોકા વડે ફરિયાદીને માથાના ભાગે માર માર્યો મારી પીઠ તથા ખભાના ભાગે ગડદાપાટુનો માર માર્યો હતો.ફરિયાદી સાથે આવેલા લોકોએ ફરિયાદીને વધુ મારથી છોડાવ્યો હતો. ફરિયાદીને માથામાંથી લોહી નીકળતું હોઈ તે સારવાર અર્થે આદિપુર રામબાગ હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે ઇબ્રાહિમ પારાએ ફરીવાર આ પ્લોટ પર આવ્યા તો પતાવી નાખીશની ધમકી આપી હતી. તબીબે ફરિયાદીને માથાના ભાગે 3 ટાંકા આવ્યા હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.