આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા ભુજની મુલાકાતે આવી પહોચ્યા હતા.

આજે ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા ભુજની મુલાકાતે આવ્યા હતા. જેમાં સૌ પ્રથમ તેઓ એ ભુજ સ્વામી નારાયણ મંદિરની મુલાકાત લઈ ભગવાન સ્વામી નારાયણના દર્શન કર્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે નરેંદ્ર મોદી સરકારમાં સાળા ચાર વર્ષના સાસનમાં બાવન હજાર ખેડૂતો એ આત્મહત્યા કરી છે.

જયારે નવેમ્બર માં જ ગુજરાતમાં ૧૮ ખેડૂતો એ આત્મહત્યા કરી સરદાર વલ્લભભાઈ ની પ્રતિમા બનાવાઈ પરંતુ ખેડૂતોની સરકાર દ્વારા ચિંતા કરવામાં નથી આવી જયારે ખેડૂતોના દેવા માફ નથી કરતાં જયારે બે લાખ ૭૧ હજાર ઉધોગપતિઓના સરકાર દ્વારા દેવા માફ કરવામાં આવ્યા છે.