અંજારમાં આવેલ જય અંબે નગરમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

અંજારમાં આવેલ જય અંબે નગરમાં રહેતા સુરેશ પાંચાભાઇ બોરીચા નામના યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મળેલ માહિતી અનુસાર આ યુવાન ગત તા. 25/7ના સવારના ભાગે પોતાનાં ઘરે જ હતો, તે સમય દરમ્યાન અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઇ પોતાના જીવનના છેલ્લા શ્વાશ લીધા હતા. પોલીસે આ બાબતે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.