ભારાસરના 49 વર્ષીય આધેડ માનકૂવાના તળાવમાંથી મૃત હાલતમાં મળી આવ્યા

copy image

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ભારાસરના 49 વર્ષીય આધેડ માનકૂવાના તળાવમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. મળેલ માહિતી મુજબ ગત દિવસે સવારના અરસામાં માનકૂવાના સધુરાઇ તળાવમાં ડૂબેલી અવસ્થામાં ભારાસરના આધેડ મળી આવતા તેમને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, માનકુવા પોલીસે આ અંગે આગળની વધુ તપાસ આદરી છે.