માધાપરમાં 16 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image

copy image

ભુજ તાલુકાના માધાપર ગામમાં 16 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર  માધાપરમાં આવેલ મતિયા કોલોનીમાં રહેતી 16 વર્ષીય સગીરાએ ગત દિવસે સવારે 11 થી 12 વાગ્યાના સમયગાળામાં આવું પગલું ભર્યું હતું. મળેલ માહિતી મુજબ આ સગીરા પોતાના ઘરે હાજર હતી તે દરમ્યાન કોઈ કારણોસર પોતાના રૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો.બનાવની જાણ થતાં તેને તુરંત સારવાર અર્થે તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.