ભચાઉ ખાતે આવેલ ઘરાણા ગામમાં વીજવાયર થકી આગ ભભૂકી ઉઠતાં ખેડૂતની મહેનત બળીને થઈ ભષ્મ

image-2

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉ ખાતે આવેલ ઘરાણા ગામમાં વીજવાયર થકી આગ ભભૂકી ઉઠતાં જુવારના  4300 પૂળા  સળગીને ખાખ થઈ ગયા હતા. ઘરાણા ગામમાં આ બનાવ  ગત દિવસે સવારે 11 વાગ્યાના સમયે બન્યો હતો.  આ મામલે મળેલ માહિતી અનુસાર ગણેશા આણદા જોસરફાળના વાડા  ઉપરથી વીજતંત્રના  વીજરેષા પસાર  થાય છે. આ વીજતાર તૂટી પડતાશોર્ટ સર્કિટનાં કારણે આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. જેમાં આ વૃદ્ધ ખેડૂતના વાડામાં રહેલા જુવારના 4300 પૂળા તથા મકાનના વરંડામાં રાખેલાં લાકડાં સળગીને ખાખ થઈ ગયાં હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.