ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા લોકોમાં ખુશીનો માહોલ

copy image

ધારાસભ્ય દ્વારા વારંવાર રજૂઆતો કર્યા બાદ ગાંધીધામ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજજો મળે તે માટે વિવિધ અકડાઓ અને ભવિષ્યના વિકાસને ધ્યાને રાખીને ભારપૂર્વક રજૂઆતો કરાઈ હતી. બજેટ પ્રસ્તાવમાં ગાંધીધામ નગરપાલિકાને અપગ્રેડ કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થતા કચ્છવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે પ્રાપ્ત થતી વિગતો મુજબ કેટલાક વર્ષોથી લોકો દ્વારા કરવામાં આવતો સંઘર્ષ અને માંગણી આખરે સંતોષાય છે. નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા સતત કરવામાં આવતી રજૂઆતો સફળ બની છે ત્યારે લોકોની મહેનત રંગ લાવી છે. આ બાબતે ચેમ્બર દ્વારા કરવામાં આવતી ઘણા સમયથી સતત માંગ અને રજૂઆતમાં સાથ આપનાર 150 થી વધુ સંસ્થાઓ તાલુકા જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. દિન દયાળ પોર્ટ ઓથોરિટીએ ગાંધીધામ શહેરના વિકાસ માટે હંમેશા તત્પર રહી છે ત્યારે આ જાહેરાત એક મહત્વપૂર્ણ જાહેરાત તેમના માટે સાબિત થઈ છે. માહિતી મળી રહી છે કે ગાંધીધામ કંડલા પહેલ માટે 11.38 કરોડ ફાળવવા માટેના મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવેલ છે. ગાંધીધામની એકતાનો વિજય થયો છે ત્યારે આઝાદી બાદ 75 વર્ષથી જ અસ્તિત્વમાં આવેલા પચરંગી કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ માટે આખરે ગુજરાત સરકાર દ્વારા મહાનગરપાલિકાના દરજ્જા માટેની જાહેરાત થતા લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉપરાંત રાજ્યના પ્રજાલક્ષી મુખ્યમંત્રી અને નાણામંત્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે. આજે ગાંધીધામને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળતા ગાંધીધામની એકતા નો વિજય થયો છે તેવું કહી શકાય.
ગુજરાતની સર્વ પ્રથમ જમીન વિહોણા મહાનગરપાલિકા બનશે ગાંધીધામ. ગાંધીધામ શહેર સ્માર્ટ સિટી બની ગયા બાદ એવી જ રીતે ગાંધીધામ બન્યું મહાનગરપાલિકા. લોકોમાં એવી આશા જોવા મળી રહી છે કે સરકાર પૂર્ણ કક્ષાની પૂર્ણ મહેકમ સાથેની ગાંધીધામ મહાનગરપાલિકા પ્રજાજનના હિતમાં જ બની રહે.
વર્ષ 1950 માં ગાંધીધામની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજે 75 વર્ષ બાદ અમૃત વર્ષ કાળમાં ગાંધીધામ ડે ના દસ દિવસ અગાઉ રાજ્ય સરકાર તરફથી સુનેરી ભેટ મળી છે તેવું કહી શકાય. લોકોનું માનવું છે કે 1950 માં સ્થાપના સમયનો અનુભવ અત્યારે થયો છે. 75 વર્ષ બાદ આજે ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારે આજથી 75 વર્ષ પહેલાં આઝાદીના સમયે લોકો જે ખુશી અનુભવી રહ્યા હતા. આજે પણ એ જ ખુશી લોકોના ચહેરા ઉપર જોવા મળી રહી છે.આજે ગાંધીધામને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારે વેપારીઓ જણાવી રહ્યા છે કે હવે સંકુલ સ્વચ્છ દબાણ મુક્ત બનશે વધુમાં તેઓ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે કે આ ઐતિહાસિક નિર્ણય ગાંધીધામ શહેર માટે અનેરો અવસર છે.