માધાપરમાં 36 વર્ષીય પરિણીતાએ બીમારીથી કંટાળીને ગળે ફાંસો ખાધો

suicide

copy image

copy image

ભુજ તાલુકામાં આવેલ માધાપરમાં  36 વર્ષીય પરિણીતાએ બીમારીથી કંટાળીને ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના માધાપરમાં રહેતા રહેતા પરિણીતા મીનાબેન મતિયાએ પોતાની બીમારીથી કંટાળીને ગત દિવસે સાંજના સમયે તેમના ઘરે પંખામાં  ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ તેમને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.