ભુજ તાલુકાનાં પધ્ધરથી અન્ય ગામોને જોડતો માર્ગ અતિબિસ્માર હાલતમાં

ભુજ તાલુકાનાં પધ્ધરથી  મમુઆરા, ધાણેટી, કાળી તળાવડી, ચપરેડી, અટલનગર સહિતના માર્ગ જર્જરિત બની જતાં લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે જાણવા મળી રહ્યું છે કે, આ ગામોમાં  પ્રધાનમંત્રી ગ્રામ  સડક યોજના હેઠળ જે રસ્તાઓ બનાવવામાં આવેલ હતા તેની હાલત બિસ્માર બની ચૂકી છે.   આવનાર સમયમાં  વરસાદ આવે તે પૂર્વે જ આ જર્જરિત રસ્તઓનું મરમ્મત કાર્ય કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ આ પંથકમાં મોટાભાગે માલધારીઓ, ખેડૂતવર્ગ તેમજ ચાઈનાકલે ઉદ્યોગથી સંકળાયેલા ધંધાર્થી, રાહદારીઓ માટે રસ્તો ઉપયોગી છે. રાતના સમયે વાહન ચાલકો અવારનવાર સ્લીપ થઈ જતાં ઘાયલ બને છે. ઘણા સમયથી જર્જરિત માર્ગની ટૂંક સમયમાં મરમ્મત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.