જયનગરમાં 40 વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ  આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

copy image

જયનગરમાં 40 વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ  આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ જયનગરમાં આવેલ વસંત એપાર્ટમેન્ટમાં રહેતા તેમજ લાંબા સમયથી  માનસિક રીતે અસ્વસ્થ  40 વર્ષીય  હરેશભાઇ જગદીશભાઇ સોનીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ગત રાત્રે આ આધેડ પોતાની ઘરે હતા તે દરમ્યાન રાત્રે કોઇ   કારણોસર પોતાનાં ઘરે પંખામાં ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં જ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે  આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી આદરી છે.