અંજાર ખાતે આવેલ ચાંદ્રોડાની હોટેલમાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

અંજાર ખાતે આવેલ ચાંદ્રોડાની હનુમાન હોટેલમાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થઈ વિગતો મુજબ આ બનાવ ગત તા. 16ના બપોરે 2.30 વાગ્યાના સમયગાળામાં બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી યુવાને હોટેલના સ્ટાફ રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે હજુ બહાર આવ્યું નથી.