અંજાર ખાતે આવેલ વરસામેડીમાં 37 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં 37 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  અંજાર ખાતે આવેલ વરસામેડી સીમ વિસ્તારમાં આવેલ રહેણાક વસાહતમાં 37 વર્ષીય પ્રકાશ  રામારામ સરગરાએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ગત દિવસે મૃતક શખ્સ પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન  કોઈ અગમ્ય કારણોસર  રસ્સી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મરુત જાહેર કર્યા હતા.પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ આદરી છે.