અંજાર ખાતે આવેલ ચાંદ્રોડા નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત : સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નહીં
 
                copy image

અંજાર ખાતે આવેલ ચાંદ્રોડા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મુંદ્રાથી ગાંધીધામ જતા ધોરીમાર્ગ પર ચાંદ્રોડા બસ સ્ટેશન નજીક ગત દિવસે સવારે 8.15 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. આ સ્થળે ઊભેલી એસ.ટી. બસ ને ટેઈલરના ચાલકે પાછળથી ટક્કર મારી હતી તેમજ ટક્કરમાં એસ.ટી. બસ આગળ ઊભેલી ઈનાવો ગાડીમાં ઘૂસી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતમાં ગાડીના ચાલકને ઇજા પહોંચી હતી. આ મામલે ટ્રેઈલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
 
                                         
                                        