કચ્છમાં  અપમૃત્યુના અલગ-અલગ  ચાર બનાવો

copy image

copy image

નખત્રાણાના આણંદસર બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા  બાદ ઇજાના પગલે શખ્સનું મોત થયું : નખત્રાણાના આણંદસર શખ્સ ગત તા. 5  2ના બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા  બાદ ઇજાના પગલે પથારીવશ  થયા  બાદ  તેમનું મોત થયું  હતું આણંદસર  ખાતે રહેતા  શખ્સ ગત તા. 5-2ના મોટર સાઇકલ લઇને આવતા હતા દેશલપર  પાસેની શાળા  નજીક આકસ્મિક રીતે પડી જતા  તેઓને શરીરમાં ગંભીર ઇજાઓ પહોચતાભુજની  ખાનગી હોસ્પિટલમાં દોઢેક માસસુધી દાખલ રહી સારવાર બાદ પથારી પર આરામ કરવા  રજા આપી દેવાઇ હતી. પથારીવશ  શખ્સની તબીયત બગડતા તેઓને પ્રથમ મંગવાણા  અને ત્યારબાદ ભુજની જી.કે.  જનરલ હોસ્પિટલમા સારવાર અર્થે લઇ અવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.  નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી  તપાસ આદરી   હતી .

copy image
copy image

આદિપુરની જયપાર સોસાયટીમાં  યુવતીએ ગળેફાંસો ખાઇ મોત ને વ્હાલું કર્યું : આદિપુરના 1-એની જયપાર સોસાયટીના મકાન નંબર 210માં રહેનાર યુવતીએ થોડા સમયથી નોકરી  મુકી ઘરે જ મહેંદી વગેરેનું કામ કરતી હતી. એક દોઢ વર્ષ પહેલા યુવતીની બહેને આપઘાત  કરી લીધો હતો. ત્યારથી તે સુનમુન રહેતી હતી. તે દરમ્યાન તેણે ગળેફાંસો ખાઇ  આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે  આગળની  કાર્યવાહી આદિપુર પોલીસે હાથ ધરી હતી .

copy image

અંજારમાં યુવાનનું પોતાના ઘરે કોઇ કારણોસર મોત થયું :  અંજારમાં વિજયનગર  પ્ર ભાત નગર પ્લોટ નંબર 73માં આ મોતનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર યુવાન સવારના આરસામાં પોતાના ઘરે બેભાન મળી આવ્યો હતો. તેને સારવાર અર્થે  હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો.  યુવાનનું મોત કેવા કારણોસર થયું હશે તેની આગળની તપાસ  પોલીસે હાથ ધરી હતી

copy image

ભુજના જવાનની પત્ની  ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો : મૂળ ડીંડવાણા જિલ્લો ધૌસા  રાજસ્થાનના હાલે ભુજના   આર્મીમાં નોકરી કરતા  કેમ્પના  કવાર્ટર્સમાં રહેતા  શખ્સે  ભુજના બી-ડિવિઝન પોલીસ મથકે નોધાવેલ ફરિયાદ   મુજબ તેમની પત્ની  સોમવારની અડધી રાત્રે તેઓના ઘરની બહાર કોઇ અગમ્યકારણે  લીમડાના ઝાડમાં  ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી તેને સારવાર અર્થે મિલિટરી  હોસ્પિટલમાં લઇ જતા  ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે  અકસ્માત મોતનો ગુનો દાખલ  કરી કાર્યવાહી હાથ ધરી હતી.

copy image