ખારાઈની સીમમાં મંદિરની દાન પેટીમાં અજાણ્યા ઈશમ દ્વારા તાળા તોડી ચોરી કરાઈ

copy image

copy image

અબડાસા તાલુકાના ખારાઈની સીમમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની અજાણ્યા  ઇસમએ દાનપેટી  તોડી રોકડા રૂા. 3850ની ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો હતો . ખારાઈ સીમના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ  વાયોર પોલીસ મથકે   નોંધાવેલ  ફરિયાદ અનુસાર પૂજારી સાંજના આરસામાં મંદિરેથી વાયોર રાશન       લેવા ગયા હતા  રાતના   આઠેક વાગે મંદિરના ગેટ પાસે પહોંચતાં  એક ઈસમ  બાઈકથી નીકળતો જોયો હતો,  અગાઉ ક્યારેય તે ઇસમન ફરિયાદીએ જોયો નહોતો. મંદિરમાં જતાં ત્યાં લાકડાંની દાનપેટીનું તાળું  તૂટેલું હતું.  આ દાનપેટીમાં અંદાજે રૂા. 3850 હતા જેની ચોરી થઈ હતી  સીસીટીવી તપાસતાં બાઈકથી સામે મળેલા અજાણ્યા ઇસમે એ જ ચોરી કર્યાનું દેખાયાનું ફરિયાદમાં નોંધાવ્યું હતું