Crime અંજારના મોમાયનગરમાં કાપડના વેપારીના ઘેરથી 5,80,000 ની ચોરી 6 years ago Kutch Care News અંજારના મોમાયનગરમાં કાપડના વેપારીના ઘેરથી તસ્કરોએ 5,80,000 ની ચોરી કરતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે. અંજાર પોલીસ સ્ટેશને લખાવેલી ફરિયાદ પરથી વિગતો આપતા પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે, શહેરના મોમાયનગરમાં રહેતા જગદી ગગુ વિરડાના મકાનમાં તસ્કરી થઈ છે. જગદીશભાઈ કપડાના વેપાર માટે મુંબઈ ગયા હતા. તે દરમિયાન ગત 26મી માર્ચથી આજે સવારના અરસા દરમિયાન તેમના ઘરમાંથી તસ્કરી થઈ હતી. અજાણ્યા તસ્કરો શખ્સોએ બંધ ઘરના નકુચા તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. અને પેટી પલંગમાં રાખેલા રોકડા રૂપિયા 2,90,000 ની ચોરી કરાઈ હતી. તેમજ સોનાનો હાર, હાંસડી, પાંચ વિંટી, ચાર નંગ બુટ્ટી, એક માળા,ચેઈન, પેન્ડલ તેમજ રૂદ્રાક્ષ મળીને કુલ 290 ગ્રામ સોનાના દાગીના ચોરી કરી ગયા હતા. ત્યારે 2.90 લાખની રોકડ રકમ અને 2.90 લાખની દાગીના મળીને કુલ 5,80,000 ની તસ્કરી થતા અંજાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. Continue Reading Previous દહેજ પોલીસે વિદેશી બિયરના ટીન ભરેલ તવેરા સાથે બે શખ્સોની કરી ધરપકડNext રાજકોટમાં પાટણના પટોળાની છેતરપિંડી કરતા બે શંકુઓ પકડાયા More Stories Breaking News Crime Kutch ગાંધીધામમાથી ચાર ખેલીઓ ઝડપાયા 4 hours ago Kutch Care News Breaking News Crime Kutch અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક યુવતીની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ 4 hours ago Kutch Care News Breaking News Crime Kutch વધુ એક દુષ્કર્મનો બનાવ આવ્યો સામે : ગાંધીધામમાં બાવળની ઝાડીઓમાં આરોપીએ મહિલા પર આચાર્યો બળાત્કાર 4 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.