મુંદરામાં આધેડે બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઇ આપઘા કર્યો
મુંદરાના બારોઇ રોડ પર રહેતા આધેડની લાંબા સમયથી પગની નસો સંકોચાઇ ગઇ હતી. ઉપરાંત તેઓ બીમાર પણ રહેતા હોવાથી અંતે કંટાળીને પોતાના ઘરે રાતના આરસા માં ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધાની વિગતો જાહેર થતાં મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો .