મોરબી અને આમરણ ગામેથી વધુ બે મોટરસાયકલ તસ્કરી

મોરબીના વિસીપરા વિસ્તાર તેમજ આમરણ ગામેથી બે મોટરસાયકલ તસ્કરી થયા હોય જે અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી ચલાવી છે મોરબીના વિસીપરાના રહેવાસી અશ્વિનભાઈ જયંતીભાઈ કોળી (ઉ.વ.૨૮) વાળાએ ફરિયાદ લખાવી છે કે વિસીપરામાં રામદેવપીર મંદિર પાસેથી તેનું મોટરસાયકલ નં જીજે ૩૬ ઈ ૧૪૪૩ કિંમત રૂ. ૩૦,૦૦૦ અજાણ્યો ઇસમ તસ્કરી ગયો છે જયારે અન્ય બાઈક તસ્કરીમાં આમરણ ગામના ગોપાલભાઈ બચુભાઈ ગમારાએ તાલુકા પોલીસમાં ફરિયાદ લખાવી છે કે ફરિયાદીના ઘર પાસેથી તેનું મોટરસાયકલ નં જીજે ૩૬ જે ૮૮૦૩ વાળું કિંમત રૂ. ૩૫,૦૦૦ અજાણ્યો ઇસમ તસ્કરી ગયો છે પોલીસે બંને બાઈક તસ્કરીની ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *