અંજારમાં પાસે વીજથાંભલામાં બાઈક ભટકાતાં કિશોરનું મોત

copy image

copy image

અંજારના પાસે વિજ થાંભલામાં બાઈક ભટકાતાં એક કિશોરનું મોત થયું હતું. અંજારના સ્વામિ વિવેકાનંદ સોસાયટી ચાર રસ્તા પાસેથી એક અજાણ્યો કિશોર ઘવાયેલ હાલતમાં મળી આવ્યો હતો તેને 108 મારફતે આદિપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબિબે કિશોરને મૃત જાહેર કરી પોલીસને તેની જાણ કરી હતી. પોલીસે મૃતકની ઓળખ માટે સોશ્યલ મિડીયા સહિતની મદદથી તપાસ હાથ ધરી હતી.  જેમાં આ કિશોર સોયેબ સુમરા હોવાનું તથા બે લોકો બાઈકથી જઈ રહ્યા હતા ત્યારે વિજ થાંભલામાં બાઈક ભટકાતાં પાછળ બેઠેલા સોયેબને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું તેવું સાત્તાવાર સાધનો દ્વારા જાણવા મળ્યું હતું