વઢવાણમાં રસ્તા પરના રાયકાનગર પાછળ રહેતા અને છ વર્ષથી ગુજરાત ગેસમાં ડીડબલ્યુ. મેનેજર તરીકે ફરજ બજાવતા ધીરજકુમાર અજીતકુમાર ગૌરની પત્ની અને સંતાનો યુપીના અલીગઢ પિયરમાં ગયા હતા અને ધીરજકુમાર મકાન બંધ કરીને ધુળેટીના તહેવારમાં સુરત ગયા હતા. દરમિયાન બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને કબાટમાંથી રૂ. 30,000 ની રોકડ, પેન્ડલ, એક જોડી બુટીયા,બંગડી સહિત રૂ. 1.55 લાખની માલમતાનો હાથફેરો કરી ગયા હતા. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી હતી.