માધાપર પાસે ખંભરાના દંપતિને કચડનાર ટ્રેઇલરચાલક સામે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

માધાપરમાં પાસેના નળવાળા સર્કલ નજીક સાંજના અરસામા ખંભરાના દંપતિ પર ટ્રેઇલરના પૈડાં ફરી વળતા ઘટનાસ્થળે બંનેના કમકમાટીભર્યા મોત થયા હતા. આ માર્ગ અકસ્માત મોતના બનાવમાં ટ્રેઇલરચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો . માધાપર પોલીસ મથકે મૃતક મેઘજીભાઇના બહેન લક્ષ્મીબેન રમેશભાઇ સુંદરા (રહે. મિરજાપર)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 6/7ના સાંજના  5.15 વાગ્યાના અરસામાં માધાપરના નળવાળા સર્કલ પાસે તેમના ભાઇ મેઘજીભાઇ હરિલાલ વણકર મારવાડા (રહે. ખંભરા, તા. અંજાર) તથા ભાભી જ્યોતિબેન મેઘજીભાઇ વણકરની બાઇકને આરોપી ટ્રેઇલરના ચાલકે પૂરઝડપે-બેદરકારીથી ચલાવી હડફેટે લેતાં ભાઇ તથા ભાભી બંનેને ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી ગુનો કર્યો હતો . પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.