બાઉખા ઓઢેજાની પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

copy image

copy image

બાઉખા ઓઢેજા ગામની 25 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ખતુબાઈ અભુભખર સુમરાએ રવિવારે સવારના અરસામાં  આ પગલું ભરી લીધું હતું.હતભાગી પરિણીતાએ સવારના  નવ વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર છતના હુકમાં દુપટ્ટો બાંધી મોતને વ્હાલું કરી લીધું હતું.બનાવ બાદ પરિણીતાને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.બનાવને પગલે માનકુવા પોલીસે ઘટના સબંધિત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.