ગળપાદર પાસે નદીમાં પડી જતાં કિશોરનું મોત
ગાંધીધામ તાલુકાના ગળપાદરમાં સાંગ નદીના પુલ પર સાઇકલથી પસાર થનાર પવન પ્રકાશકુમાર જેલિયા (ઉ.વ. 9) અકસ્માતે નદીમાં પડી જતાં તેનું મોત થયું હતું. શાંતિધામ અને ગળપાદર વચ્ચે આવેલી સાંગ નદીના પુલ ઉપરથી બપોરના આ બાળક સાઇકલ લઇને નીકળ્યું હતું. તે દરમ્યાન, કોઇ કારણોસર તે નદીના પાણીમાં પડી ગયું હતું, જે અંગે આસપાસના લોકોને ખબર પડતાં તેને નદીના પાણીમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરાયા હતા. અંતે સાંજના અરસામાં કિશોરની લાશ મળી આવતાં વાતાવરણમાં અરેરાટી અને ગમગીની પ્રસરી હતી. બનાવ અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.