માધાપરમાં ઘરનાં તાળાં તોડી પર્સમાંથી 83 હજારની મુદ્દામાલની તસ્કરી

copy image

copy image

ભુજ  તાલુકાના માધાપરમાં ઘરનાં તાળાં તોડી પર્સમાંથી દાગીના તથા રોકડ સહિત 83 હજારની મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે માધાપર પોલીસ મથકે, માધાપર નવાવાસના ક્રિષ્નાનગર ખાતે રહેતા નિમિત બિપીનભાઈ વેદાંતે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 9/8ના બપોરના અરસામાં તા. 13/8ના રાત્રિ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમના ઘરના મેઈન દરવાજાની કડી તથા તાળાં તોડી અંદર પ્રવેશી રૂમમાં રાખેલા પર્સમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૂા. 83,000ની મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા. માધાપર પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.