Crime કાળિયાબીડ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી માલમતાની તસ્કરી 6 years ago Kutch Care News ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના ઘરેણાંની તસ્કરી કર્યાની પોલીસ ચોપડે ફરિયાદ લખાવાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પંચરત્ન સોસાયટી, પ્લોટ નં.બી/૪૭૪૦, શક્તિ માતાના મંદિર સામે રહેતા અશોકનાથ બાવનાથ ગોસ્વામી (ઉ.વ.૫૨) તેમના પરિવાર સાથે ગત તા.૯-૪ના મકાનને તાળુ મારી પોતાના વતન જેસર તાલુકાના અયાવેજ-ર ગામે ગયા હતા. દરમિયાન આજે સવારના અરસામાં પાછા ફરતા મકાનનું તાળુ તૂટલે જોતા મકાનની અંદર તલાશી લીધી હતી. જેમાં કોઈ અજાણ્યા ઇસમોએ આ ત્રણ દિવસના કોઈ પણ સમયે મકાનમાં પ્રવેશી કબાટનો નકુચો અને બાદમાં તિજોરીનો લોક તોડી અંદરથી સોના-ચાંદીના ઘરેણાં અને ૨૧,૫૦૦ની રોકડની તસ્કરી કરી હોવાનું જણાયું હતું. જે બનાવ અંગે અશોકનાથભાઈ ગોસ્વામીએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ લખાવી હતી. Continue Reading Previous સુરજકરાડી-ઓખામાં જુગાર રમતા 3 ઇસમો પકડાયાNext ખેડા જિલ્લામાં ધમધમતા જુગારધામ પર પોલીસની રેડ : અલગ-અલગ બે સ્થળોએથી 11 ઇસમોની અટકાયત More Stories Breaking News Crime Kutch ગાંધીધામમાથી ચાર ખેલીઓ ઝડપાયા 19 hours ago Kutch Care News Breaking News Crime Kutch અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક યુવતીની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ 19 hours ago Kutch Care News Breaking News Crime Kutch વધુ એક દુષ્કર્મનો બનાવ આવ્યો સામે : ગાંધીધામમાં બાવળની ઝાડીઓમાં આરોપીએ મહિલા પર આચાર્યો બળાત્કાર 19 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.