કાળિયાબીડ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી માલમતાની તસ્કરી

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના ઘરેણાંની તસ્કરી કર્યાની પોલીસ ચોપડે ફરિયાદ લખાવાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પંચરત્ન સોસાયટી, પ્લોટ નં.બી/૪૭૪૦, શક્તિ માતાના મંદિર સામે રહેતા અશોકનાથ બાવનાથ ગોસ્વામી (ઉ.વ.૫૨) તેમના પરિવાર સાથે ગત તા.૯-૪ના મકાનને તાળુ મારી પોતાના વતન જેસર તાલુકાના અયાવેજ-ર ગામે ગયા હતા. દરમિયાન આજે સવારના અરસામાં પાછા ફરતા મકાનનું તાળુ તૂટલે જોતા મકાનની અંદર તલાશી લીધી હતી. જેમાં કોઈ અજાણ્યા ઇસમોએ આ ત્રણ દિવસના કોઈ પણ સમયે મકાનમાં પ્રવેશી કબાટનો નકુચો અને બાદમાં તિજોરીનો લોક તોડી અંદરથી સોના-ચાંદીના ઘરેણાં અને ૨૧,૫૦૦ની રોકડની તસ્કરી કરી હોવાનું જણાયું હતું. જે બનાવ અંગે અશોકનાથભાઈ ગોસ્વામીએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ લખાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *