કંડલા પોર્ટમાં ટ્રેઇલરે આધેડ શ્રમિકને હડફેટે લેતાં મુત્યુ

dead-body-floor-60202053

copy image

copy image

કંડલામાં દીનદયાળ પોર્ટની અંદર ટ્રેઇલરે શ્રમિક એવા મોહંમદ અસગર મોહંમદ નજીર મુસ્લિમ (ઉ.વ.55)ને હડફેટમાં લેતા આધેડે જીવ ગુમાવ્યો  હતો. કંડલાના દીનદયાલ પોર્ટ ઉપર જેટી નંબર 7 પાસે બપોરના અરસામાં  જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અહીં એ.સી.ટી. કંપનીનું જહાજ લાગ્યું હતું. જ્યાં આ આધેડ શ્રમિક કામ કરી રહ્યા હતા તેવામાં ટ્રેઇલરના ચાલકે આધેડને હડફેટમાં લીધો હતો, જેમાં તેમને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં આ શ્રમિકે જીવ ખોયો હતો. બનાવ અંગે પ્રમોદકુમાર રાધેશ્યામ  યાદવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.