ભચાઉમાં એક ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

copy image

ભચાઉમાં એક ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠતાં ભારે દોડદામ મચી હતી. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ બપોરના અરસામાં આગનો આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આગના ધુમાડા પાંચેક કિ.મી. સુધી દેખાતા હતા, જેના કારણે લોકોમાં ખૂબ જ ભયનો માહોલ સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે, આ ભંગારમાં લાગેલી આગ ખૂબ જ વિકરાળ બની હતી. ભચાઉ – ગાંધીધામ નગરપાલિકાના અગ્નિશમન દળોએ પાણીનો મારો ચલાવતાં ત્રણેક કલાક બાદ આ આગ પર કાબૂ મેળવાયો હતો. પવનની ગતિ ધીમી હોવાથી અહીંથી પસાર થનારા વાહનોને કોઇ અસર પહોંચી ન હોતી.  સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.