મોદી સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ માટે મોટી ભેટ : પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત પહેલા કરતા પ્રાપ્ત કરી શકશે બમણી લોન

image-112

copy image

copy image

  મોદી સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ માટે આપવામાં આવી છે ખુશખબર, જેઓ પોતાનો બિઝનેસ વધારવા અને વધારવાની યોજના પર કામ કરી રહ્યા હતા તેઓ હવે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત પહેલા કરતા પ્રાપ્ત કરી શકશે બમણી લોન. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ, મુદ્રા લોનની મર્યાદા વર્તમાન 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ નિર્ણય અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.   નાણા મંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ, 2024 ના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવતી 10 લાખ રૂપિયાની લોન મર્યાદા વધારીને 20 લાખ કરવામાં આવશે . હવે આ જાહેરાતનો અમલ કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મર્યાદા વધારવાથી મુદ્રા યોજનાના લક્ષ્‍યને હાંસલ કરવામાં મદદ મળશે અને આવા નવા ઉદ્યોગસાહસિકો કે જેમને ભંડોળની જરૂર છે તેઓ હવે તેમના વ્યવસાયના વિકાસ અને વિસ્તરણ માટે વધુ ભંડોળ પૂરું પાડી શકશે. જાણવા મળી રહ્યું છે એ મુજબ હાલમાં, પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં શિશુ, કિશોર અને તરુણ નામની ત્રણ શ્રેણીઓ છે જે હેઠળ લોન આપવામાં આવે છે. હવે તરુણ પ્લસ નામની નવી કેટેગરી લોન્ચ કરવામાં આવી છે. મુદ્રા યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન આપવાની જોગવાઈ છે. કિશોર યોજના હેઠળ, જે લોકો વ્યવસાય કરે છે તેઓ 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની મુદ્રા લોન લઈ શકે છે. તરુણ યોજના હેઠળ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો નિયમ છે. તરુણ યોજના હેઠળ લીધેલી લોન સફળતાપૂર્વક પરત કરી ચૂકેલા ઉદ્યોગપતિઓ હવે તેમના વ્યવસાયના વિકાસ અને વિસ્તરણ માટે તરુણ પ્લસ કેટેગરી હેઠળ રૂ. 10 લાખથી રૂ. 20 લાખ સુધીની લોન પ્રાપ્ત કરી શકશે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ, માઇક્રો યુનિટ્સ માટે ક્રેડિટ ગેરંટી ફંડ અંતર્ગત 20 લાખ રૂપિયા સુધીની લોન પર ગેરંટી કવરેજ આપવામાં આવશે.