Crime એક ના ડબલ કરવાની લાલચ આપી રૂ.૩૫ કરોડની છેતરપિંડી કરનાર શખ્સ પકડાયો 5 years ago Kutch Care News સુરતમાં ઇન્સ્યોરન્સ, ફ્રી મેડીકલ કેમ્પ, એક કા ડબલ જેવી સ્કીમોમાં રોકાણ કરાવવાનું કહીને એજન્ટો તરીકે જોડાઈને રોકાણના પાંચ ટકા કમિશન મળશે તેવી લોભાવની લાલચો આપીને લોકો પાસેથી રૂપિયા ૩૫ કરોડ થી વધુ ની છેતરપિંડી કરનારા ફ્રીનોમિનલ હેલ્થ કેર સર્વિસ ના ડાયરેક્ટર અમરનાથ ભુવનેશ્વર તિવારીની ક્રાઈમ બ્રાન્ચે અટક કરી છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં અત્યાર સુધી સુરતના ૫૦૦થી વધુ સાથે છેતરપિંડી થઇ હોવાનું ખુલ્યું છે. વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં રજીસ્ટ્રેશન કરાવી ફ્રીનોમીનલ હેલ્થ કેર સર્વિસ લિમિટેડ કંપનીના ચેરમેન નંદલાલ કેસર સિંગ વાઇસ ચેરમેન એમ.એ નાથર મેનેજિંગ ડિરેક્ટર એમ.કે સિંગ ગુજરાત સોનલ ડિરેક્ટર અમરનાથ તિવારી ગુજરાત ઝોન મેનેજિંગ ડિરેક્ટર પ્રભાકર મિશ્રાએ મળી યુપી,પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર,કેરલ સહિતના વિવિધ આંતરરાજ્યમાં પોતાની કંપનીની બ્રાન્ચ ઓફિસો શરૂ કરી હતી. આ ઉપરાંત વિદેશોમાં પણ બે જુદી જુદી જગ્યાએ સેમિનાર અને મીટીંગનું આયોજન કરી પ્રથમ ફ્રીનોમિનલ હેલ્થ કેર સર્વિસ લિમિટેડ તેમજ ફ્રીનોમિનલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું રજીસ્ટ્રેશન બાદ એન એસ કે કોર્પોરેશન લિમિટેડ તથા ગુજરાત પ્રિ નો હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડના નામથી લોકોને પોતાની કંપની વધુ રોકાણ કરાવવા માટે જાહેરાતો કરવામાં આવી હતી. આ દરમિયાન સચિન સી.આર.પાટીલ નગર નજીક લક્ષ્મી વિલા ટાઉનશિપમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા રામ નયન રામતીર્થ પાંડે દ્વારા રૂપિયા ૨.૫૮ લાખ રોકવામાં આવ્યા હતા. રામ નયન પોતાના સભ્યો બનાવીને રૂપિયા ૧૫ લાખનું રોકાણ કર્યું હતું તથા તેમની ટીમ દ્વારા રૂપિયા બે કરોડ મળી રૂપિયા ૨.૧૭ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અને એજન્ટો દ્વારા કુલ રૂપિયા ૬.૯૪ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. રોકાણકારો દ્વારા સમયમર્યાદા પૂરી થયા બાદ પોતાના રોકાણ ની માંગણી કરવામાં આવી હતી. પરંતુ બધા લોકો ચેરમેનો દ્વારા મુંબઇ અને ગુજરાતની ઓફિસો બંધ કરી દઈ ને છેતરપિંડી કરવામાં આવી હતી. કંપની દ્વારા જે પોલીસી બહાર પાડવામાં આવી હતી. તેમાં એક પોલિસીમાં નવ વર્ષમાં 20 હજારની રકમ ભરવામાં આવ્યા બાદ પોલીસીનો સમય પૂરો થાય. ત્યારે પોલિસીના ડબલ એટલે કે 40,000 ભરવાના હતા જેમાં દર મહિને રૂપિયા એક હજારનો હપ્તો રાખવામાં આવ્યો હતો અને તેની રસીદો પણ આપવામાં આવતી હતી જે અંગે રામ નયનને મહિધરપુરા પોલીસ ફરિયાદ કરતા પોલીસે બધા સંચાલકોની વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી હતી આ તપાસમાં ઘણા લોકો ફસાયા હોવાથી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી આ કેસમાં ૫૦૦થી વધુ ભોગ બનેલા લોકોના નિવેદન નોંધાયા છે અને અત્યાર સુધી છેતરપિંડીનો આંક 35 કરોડ સુધી પહોંચ્યો છે. Continue Reading Previous આર.આર.સેલ જુનાગઢ તથા એલ.સી.બી. ગીર સોમનાથનો હિરણવેલના ક્રિષ્ના ફાર્મમાં ક્રિકેટ સટ્ટાનો સંયુકત રેડNext ભારાપરના માજી સરપંચ હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોપાઈ More Stories Breaking News Crime Kutch ગાંધીધામમાથી ચાર ખેલીઓ ઝડપાયા 2 days ago Kutch Care News Breaking News Crime Kutch અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક યુવતીની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ 2 days ago Kutch Care News Breaking News Crime Kutch વધુ એક દુષ્કર્મનો બનાવ આવ્યો સામે : ગાંધીધામમાં બાવળની ઝાડીઓમાં આરોપીએ મહિલા પર આચાર્યો બળાત્કાર 2 days ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.