અપહરણ તથા દુષ્કર્મના ગુનામાં સામેલ આરોપી નિર્દોષ જાહેર
copy image

અપહરણ તથા દુષ્કર્મના ગુનાના ચકચારી કેસમાં આરોપીને દોષમુકત કરતો હુકમ ગોંડલની અદાલત દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી વિરુદ્ધ અપહરણ તથા તરુણી ઉપર દુષ્કર્મ ગુજારવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે કેસ ગોંડલની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટને તમામ દલીલો સાંભળ્યા બાદ આરોપીને શકાનો લાભ આપી તમામ ગુનામાંથી દોષમુકત કરતો હુકમ જાહેર કરાયો છે.