મુંદ્રા ખાતે આવેલ નવીનાળના 40 વર્ષીય આધેડનું વીજ શોક લાગતાં મોત

copy image

copy image

 મુંદ્રા ખાતે આવેલ નવીનાળ રહેતા 40 વર્ષીય આધેડને વીજ કરંટ લાગતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ આધેડ ગત તા. 16/10ના નાના કપાયામાં લાઇટનું કામ કરી રહ્યા હતા તે દરમ્યાન વીજ શોર્ટ સર્કિટ થકી તે ગંભીર રીતે ઘાયલ હતા. ગંભીર રીતે ઘાલ થયેલ આ આધેડને સૌ પ્રથમ સારવાર મુંદ્રા ત્યારબાદ ભુજ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.