આજીવન કેદની સજા ભોગવતો હત્યારો સાબરમતી જેલમાંથી ફરાર
copy image

સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો આરોપી બીમારીના બહાને ફરાર થઈ ગયો હોવાનો ગંભીર કિસ્સો સપાટી પર છે. ઓપન જેલ દવાખાને સારવાર બાદ આ કેદી પોલીસને ચકમો દેવામાં સફળ રહ્યો હતો. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ આરોપી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. ફરાર આરોપીને દબોચવા પોલીસે દોડ શરૂ કરી દીધી છે.