પ્રયાગરાજમાં પધારેલ IITian બાબાની બે આગાહીઓ સાચી પડી
હાલમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશના ખૂણે ખૂણેથી સંતો અને ઋષિઓ આવી રહ્યા છે. તેમાં એક IITian બાબા ઉર્ફે અભય સિંહનું નામ પણ સામેલ છે. જેમણે IIT મુંબઈમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ કરેલ છે. પરંતુ લાખોની નોકરી છોડ્યા બાદ, તેમણે હવે સંપૂર્ણપણે આધ્યાત્મિકતા પસંદ કરી છે. જેમનો દાવો હતો કે તેમની ઘણી આગાહીઓ સાચી પડી છે.
ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ બાબાની બે આગાહીઓ સાચી પડી છે. જેના વિષે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આઈઆઈટીયન બાબાએ પોતાની આગાહીઓ વિષે જણાવ્યુ કે
“હું તમને ઘણી બધી વાતો કહીશ જે તમને વિચિત્ર લાગશે જેમ કે જ્યારે ભારતનો વર્લ્ડ કપ ચાલી રહ્યો હતો. ટી-20, ત્યારે કોઈએ વનડેમાં મારી વાત સાંભળી નહીં. મેં કહ્યું સૂર્ય કુમાર યાદવ, ચાલો તેને સ્ટાર બનાવીએ તે સદી ફટકારશે, પછી વચ્ચે એક પાડોશી ડૉક્ટર હતા તેમણે ત્યાં સમય તોડયો. બાબાએ ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ વિશે પણ એ જ રીતે કહ્યું હતું કે- “ગુકેશની ચેસ ચેમ્પિયનશિપ ચાલી રહી હતી. તો મેં જોયું કે આ ચાલ આ રીતે ચાલી રહી છે… તે આ રીતે કરવી પડશે તેથી મેં શરૂઆત કરી તેને કલ્પના કરવી એક તકનીક છે અને તે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે હું આ બધું મારી સમજણથી નથી કરતો.. આપણે નીચેથી શું જાણીએ છીએ વસ્તુઓનું જ્ઞાન હંમેશા ઉપરથી મળે છે. હું નીચેની દુનિયાની અંદર છું…. મહાદેવ બધાથી ઉપર છે. હા. તેઓ બધું જોઈ રહ્યા છે, જેમ તેઓ કહે છે તેમ નેવિગેશનને અનુસરી અહીં જાઓ ત્યાં જાઓ.. જેમ તેઓ કહે છે.
વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે IITian બાબા હરિયાણાના રહેવાસી છે તેમનું સાચું નામ અભય સિંહ છે. તેમણે IIT મુંબઈમાંથી એન્જિનિયરિંગ કરેલ છે. જે પછી તેને એક મોટી કંપનીમાં લાખોની નોકરી પણ પ્રાપ્ત કરી હતી. જેમાં રસ ન કેળવાતા થોડો સમય ફોટોગ્રાફી પણ કરી અને પછી તેમણે બધી દુન્યવી ઇચ્છાઓ છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો.તેઓનું કહેવું છે કે તેઓ અહી જીવનનો અર્થ શોધવા આવ્યા છે.