વ્યાજખોરોના ત્રાસના કારણે વધુ એક શખ્સે ઝેરી દવા ગટગટાવી

copy image

copy image

વ્યાજખોરોનો આતંક દિન પ્રતિ દિન વધી રહ્યો છે ત્યારે વ્યાજખોરોના ત્રાસના કારણે વધુ એક શખ્સે જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજ્યના બોટાદ-ભાવનગર રોડ પરના વાડી વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. મૃતકે પોતાના ભાણેજ માટે અન્ય લોકો પાસેથી 8% લેખે 8.50 લાખ રૂપિયા વ્યાજે લઈને અપાવ્યા હતા. બાદમાં મૃતકનો ભાણેજે પૈસા આપ્યા ન હતા. અને બાદમાં શખ્સો મૃતક પાસે પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી કરી રહ્યા હતા. ત્યારે આ વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-