માનકુવા વૃંદાવન હોટેલ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત અન્ય ઘાયલ

copy image

copy image

માનકુવા વૃંદાવન હોટેલ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા તેમજ અન્ય આઠ ઇજાગ્રસ્ત થયા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે સવારે સામત્રાથી પ્રવાસીઓને લઇ જતો છકડો માનકૂવા નજીક પહોંચતાં પાછળથી પૂરપાટ આવતા ટેમ્પાએ તેને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં છકડામાં સવાર આઠ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ચાર લોકોમાં મોત થયા છે. પોલીસે આ મામલે અકસ્માત સર્જનાર વાહનને જપ્ત કરી આગળની વધુ તપાસ આરંભી છે.