અંજાર ખાતે આવેલ વરસામેડીમાં રહેનાર 28 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં રહેનાર 28 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર તાલુકાના વરસામેડીમાં રહેનાર કિરણબેન માહોર નામના મહિલાએ ગત દિવસે જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ મહિલા ગત દિવસે બપોરના સમયે ઘરે હતા તે સમયે કોઈ અગમ્ય કારણોસર પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મહિલાએ કયા  કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.