ભુજના હમીરસર તળાવના પાણીમાં 25 વર્ષીય યુવાનની તરતી લાશ મળી આવતા ચકચાર
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભુજના હમીરસર તળાવના પાણીમાં અજાણ્યા યુવાનની તરતી લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સોમવારે બપોરે ન્હાવા ગયેલો 25 વર્ષીય યુવાન સમીર શકુર સમા ઊંડા પાણીમાં ગરક થઇ જતાં મૃત્યુ પામ્યો હતો. રવિવારની અડધી રાત્રે એક અજાણ્યા શખ્સની તરતી લાશ ભુજના હમીરસર તળાવમાં જોવા મળી આવતા તેને બહાર કાઢી જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અગલને વધુ તપાસ આરંભી છે.