આદિપુરમાં એક રહેણાક મકાનમાં આગ ભભૂકી ઉઠી : ઘરવખરીનો તમામ સામાન બળીને ભશ્મ થયો
copy image

આદિપુરમાં એક રહેણાક મકાનમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મકાનમાં રહેનાર હીનાબેન નિલેશચંદ્ર પોતા તેમનો પુત્ર નીલેશ ઘરમાં સૂતા હતા. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 2/3ના રાત્રે આદિપુરના વોર્ડ 2-બી, ટી.બી.એચ. મકાન નંબર 15માં બન્યો હતો. અહી આગ ભભૂકી ઉઠી હતી. આ મકાનમાં શોર્ટસર્કિટના કારણે અચાનક આગ લાગી ઉઠતાં ધીમેધીમે વધુ ફેલાઇ હતી. સર્જાયેલ ઘટનામાં ઘરમાં સૂતેલા બંને માતા-પુત્ર આગના ધુમાડાના કારણે બેભાન થઈ ગયા હતા. સ્થાનિકોને આગની જાણ થતાં બેભાન થયેલા બંનેને સારવાર અર્થે લઇ જવામાં આવેલ હતા. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ઘરવખરીનો સામાન બળીને ભશ્મ થયો હતો. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.