માધાપરની બેન્ક સાથે  1.73 કરોડની લોન મામલે થયેલ છેતરપિંડીના કેસમાં આરોપીના જામીન મંજૂર

copy image

copy image

ભુજ તાલુકાનાં માધાપરમાં આવેલ આવેલ એસબીઆઈ બેંકના ફિલ્ડ ઓફિસર સામે નોંધાવવામાં આવેલ છેતરપિંડીની ફરિયાદના આરોપીના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ માધાપર બ્રાંચના ફિલ્ડ ઓફિસર સહિત કુલ 19 લોકો વિરુદ્ધ જુદા જુદા પ્રકારે રૂપિયા 1.73 કરોડની લોનના મામલે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જેમાં આગોતરા જામીન મેળવવા કરવામાં આવેલ જામીન અરજી કોર્ટે સ્વીકારેલ છે.