સામખિયાળી પ્લાઝા પર આઈજી ચિરાગ કોરડીયા દ્વારા સરપ્રાઈઝ વાહન ચેકિંગ હાથ ધરાયુ

૩૦થી વધુ વાહનો ડીટેઇન કરાયા અને અનેક વાહનોને એનસીએને આરટીઓના નિયમ ભંગ બદલ કાર્યવાહી કરાઈ.
આજ રોજ સાંજના છ કલાકના આરસામાં પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા દ્વારા સામખિયાળી પાસે થી પસાર થતા ઓચિંતા સરપ્રાઈઝ વાહન ચેકિંગ કરવામાં આવી હતી સામખિયાળી પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તમામ પ્રકારના વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને નાના-મોટા ૩૦થી વધુ જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને અનેક વાહનોને ટ્રાફિક નિયમન ભંગ કરનારા વાહનોની સાથે સાથે સાડા પાંચ નંબર પ્લેટ વગરના વાહનોને એનસી તેમજ ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે એન આ કામગીરી માં પોલીસ સ્ટેશનના પીઆઇ વી કે ગઢવી તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ સાથે જોડાઈ હતી અને આ કામગીરી કરવામાં આવી હતી. વધુમાં આઈજી ચિરાગ કોરડીયા દ્વારા પોલીસ કર્મચારીઓને ટ્રાફિક નિયમનની કામગીરી માટે વધુ માર્ગદર્શન પાઠવ્યું હતું અને નંબર પ્લેટ વગરના વાહનો અને rto નિયમો ભંગ કરતા વાહનો માટેના વધુ કડક કાર્યવાહી માટે ના પણ સૂચનો આપવામાં આવ્યા હતા.