ગુજરાતના ગીર સોમનાથમાંથી ગોઝારો બનાવ આવ્યો સામે : બેનાં મોત સાત ઘાયલ

accident

copy image

accident
copy image

સૂત્રો જણાવી રહયા છે ગુજરાતના ગીર સોમનાથમાંથી ગોઝારો બનાવ સામે આવી રહ્યો છે જેમાં લોકો પર ટ્રકે પલ્ટી મારી જતાં બેનાં મોત થયા છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગીર સોમનાથમાં અકસ્માત જોવા ઉભા રહેલા લોકો પર ટ્રક પલટી મારી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં  હતા તેમજ સાતથી વધુ લોકોને સારવાર અર્થે  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.