નખત્રાણાના નિરોણા ગામમાં 22 વર્ષીય યુવા પરિણીતાનો આપઘાત

copy image

નખત્રાણાના નિરોણા ગામમાં 22 વર્ષીય યુવા પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે બપોરના અરસામાં યુવા પરિણીતા વનીતાબેન મહેશભાઇ મહેશ્વરીએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હતા તે સમયે કોઇ અકળ કારણોસર પોતાના ઘરના પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે નિરોણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.