વલ્લભીપુર નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત

copy image

copy image

દિન પ્રતિ દિન અકસ્માતોના બનાવ સામે આવી રહયા છે ત્યારે રાજ્યમાં ફરી વધુ એક વખત માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર – વલ્લભીપુર ખાતે આવેલ કાનપર ગામ પાસે કાર અને આઈસર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત થયાં છે. જુદી જુદી બે કારમાં એક પરિવારના પાંચ સભ્યો અમદાવાદથી બાબરા જઈ રહ્યા હતા તે સમયે તેમને આ અકસ્માત નડ્યો હતો. સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.