યુદ્ધવિરામની જાહેરાતનું ઉલ્લંઘન કરી પાકિસ્તાને ભારત પર ફરી એક વખત કર્યા હુમલા

copy image

copy image

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ચોથા દિવસે એટલે કે 10 મે ના ભારતે સાંજે 5 વાગ્યે યુદ્ધ વિરામની જાહેરાત કરવા છતાં પણ પાકિસ્તાને તેનું ઉલ્લંઘન કરી રાત્રે 9 વાગ્યે ગુજરાતના કચ્છ સહિત જમ્મુ કાશ્મીર, પંજાબ તથા રાજસ્થાનમાં પાકિસ્તાને ડ્રોન હુમલો કર્યો હતો. ફરી એક વખત કચ્છમાં પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. કચ્છના ખાવડામાં ૬ પાકિસ્તાની ડ્રોન દેખાયા તેમજ ખાવડાથી ભુજ તરફ આવતા ૬ પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા જેને ભારતીય લશ્કરી દળો દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યું. ભારત અને પાકિસ્તાનના આ યુદ્ધમાં પાકિસ્તાન કચ્છના બોર્ડર ઉપર સતત ડ્રોન એટેક કરી રહ્યું છે.