અબડાસા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટેની અરજીઓ મંગાવાઈ

અબડાસા તાલુકાની આમરવાંઢ પ્રા.શાળા, અરજણપર પ્રા. શાળા, જબરાવાંઢ પ્રા.શાળા, બેરનાની , પ્રા. શાળા, ભારાપર પ્રા. શાળા, ભવાનીપર કન્યા પ્રા. શાળા ધનાવાડા પ્રા. શાળા, નુધાતડ પ્રા.શાળા, નાનાવાડા પ્રા. શાળા, પાટ પ્રાથમિક શાળા અને રાપરગઢ પ્રા.શાળા, ઉકરી પ્રા.શાળા તથા વારંડીમોટી પ્રા.શાળા સહિતની શાળાઓમાં વર્ષ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક સત્ર માટે મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ મામલતદાર કચેરીથી મેળવીને સંપૂર્ણ વિગત ભરીને અરજી તા.૦૬/૦૬/૨૦૨૫માં સુધીમાં ટપાલથી/રૂબરૂ મામલતદાર કચેરી , પી .એમ. પોષણ શાખા, નલિયા ખાતે મોકલી આપવાની રહેશે

     શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી પાસ જરૂરી રહેશે. તમામ ઉમેદવાર માટે વય ૨૦થી ૬૦ વર્ષની રહેશે. આ અંગે અન્ય શરતો કચેરીમાંથી રૂબરૂ જાણી શકાશે.   જરૂરી આધાર પુરાવા અરજી સાથે રજૂ કરવાના રહેશે. અરજદારે અરજી ફોર્મ અધિકારીશ્રીની ખરાઈ કર્યા બાદ જ આવક શાખામાં રજૂ કરવું. ખરાઇ કર્યા વગરનું ફોર્મ માન્ય ગણાશે નહીં તેમ મામલતદારશ્રી, અબડાસાની અખબાર યાદીમાં જણાવાયું છે.