મતદાન મથકની ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા બુથ ઉભા કરી શકશે નહીં
આગામી ગ્રામ પંચાયતોનીની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે. રાજ્ય ચૂંટણી આયોગના મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા તથા રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા ઉભા કરવામાં આવતા બૂથોના નિયમન બાબતે જરૂરી સૂચનાઓ આપી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ – ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી કચ્છ જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોનાં મતદાર વિસ્તારમાં મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા તથા ઉમેદવારો, કાર્યકરો, રાજકીય પક્ષો દ્વારા ઉભા કરવામાં આવતા બૂથોના નિયમન બાબતે ફરમાવવામાં આવેલ છે કે, મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ બૂથ ઉભું કરી શકાશે નહીં. જ્યાં એક જ પ્રિમાઈસીસમાં એકથી વધુ મતદાન મથક ઉભા કરવામાં આવેલ હોય ત્યાં પણ આવા પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારની બહાર આવા મતદાન મથકોના જૂથ દીઠ એક જ બૂથ પ્રતિ ઉમેદવાર ઉભા કરી શકાશે. આવા દરેક બૂથ દીઠ ફક્ત એક ટેબલ, બે ખુરશી, અને બે જ વ્યક્તિ રહી શકશે, અને આ બે વ્યક્તિઓ હવામાન પરિસ્થિતિઓથી બચવા ફક્ત એક છત્રી અથવા તાડપત્રી કે કપડાનો ટુકડો ઉપયોગમાં લઈ શકશે. પરંતુ તેની ચારે બાજુથી કંતાન કે કાપડથી બંધ કરી શકશે નહીં. આવા બૂથો ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય ઉભા કરી શકાશે નહીં ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પરવાનગીમાં દર્શાવેલ નામ સિવાયના વ્યક્તિ આવા બૂથ પર હાજ૨ ૨હી શકશે નહીં. આ ઉપરાંત આવા બૂથ ઉભા ક૨વા માટે જે જે સ્થાનીય સત્તામંડળો પાસેથી પરવાનગી મેળવવી જરૂરી હોય તેની પરવાનગી પહેલેથી જ મેળવી લેવાની રહેશે. આવા બૂથની તમામ પરવાનગીઓ બૂથ ખાતે રાખવાની રહેશે. આવા બૂથ ફક્ત ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓને આધિન તૈયા૨ ક૨વામાં આવેલા ઉમેદવારના નામ અને પ્રતિક તેમજ રાજકીય પક્ષના નામ છાપ્યા સિવાયની બિનસત્તાવાર મતદાર કાપલી કાઢી આપવાના એકમાત્ર હેતુથી જ ઉભા કરી શકાશે. આવા બૂથ પર કોઈપણ સંજોગોમાં ભીડ જમા થઈ શકશે નહી. જે વ્યક્તિઓ મતદાન કરી ચૂક્યા હોય તેવા વ્યક્તિઓ આવા બૂથ પર જઈ શકશે નહીં. આવા બૂથ ૫૨ રહેલ વ્યક્તિઓ કોઈ પણ સંજોગોમાં મતદારોને અન્ય ઉમેદવારના બૂથ તરફ જતાં કે મતદાન મથક તરફ જવાના રસ્તામાં કોઈપણ પ્રકારે મતદારોને તેમની ઈચ્છા મુજબ પોતાનો મતાધિકાર ભોગવવાથી અવરોધી શકશે નહીં.
કોઈ ઉમેદવાર અથવા કોઈ વ્યક્તિ અથવા રાજકીય પક્ષ દ્વારા આ નિયમોનો ભંગ ક૨વામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.
અંજના ભટ્ટી