શિકારપુરની વાડીમાં ઓરડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી : ચારો, ગોવાતરી, એરંડા વગેરે બળીને ભશ્મ થયા : અંદાજે 3 લાખનું નુકશાન

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ શિકારપુરની વાડીમાં ઓરડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. જેમાં આગ લાગવાના કારણે ચારો, ગોવાતરી, એરંડા વગેરે બળીને ભશ્મ થયા હતા. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના શિકારપુરમાં રહેતા ખેડૂત ગોપાલ હરિ વાવિયા ગત તા. 31/5ના સાંજે પોતાના ઘરે હતો તે દરમ્યાન ગામના લોકોએ તેમને ખેતરની ઓરડીમાં આગ લાગી હોવા અંગે જાણ કરી હતી. બનાવ અંગે જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે જઈ તપાસ કરતાં આગની જ્વાળાઓ વિકરાળ બની હતી જેના કારણે ઓરડીમાં રાખેલ 60 મણ ચારો, 20 મણ ગોવાતરી, 20 મણ એરંડા સળગી રાખ થઈ હતા. વધુમાં સૂત્રોનું કહેવું છે કે, આ બનાવમાં અંદાજે રૂા. 3 લાખની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો.