કચ્‍છ જિલ્‍લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને લાઉડ સ્‍પીકરના ઉપયોગ કરવા પર પ્રતિબંધ

copy image

copy image

આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થના૨ છે, ચૂંટણીની કામગીરી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે.

આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ સંદર્ભે ચૂંટણી સમય દ૨મિયાન ઉમેદવારો/કાર્યકરો/રાજકીય પક્ષ ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટાપાયે ક૨તા હોય છે. આ લાઉડ સ્પીક૨નો ઉપયોગ ફક્ત નિયત મંચ ઉપરાંત ટ્રક, ટેમ્પો, કાર, જીપ, ટેક્ષી, વાન, ત્રણ પૈડા વાળા વાહનો, સ્કૂટરો, રિક્ષા, બળદગાડી, ઉંટગાડા, વગેરે વાહનો ઉપર ગોઠવીને ક૨વામાં આવે છે. ખૂબ ઉંચા અવાજે પ્રચાર કરતા લાઉડ સ્પીકરો સાથેના વાહનો તમામ માર્ગો, શેરીઓ, ગલીઓમાં ફરતા હોય છે. જેને કા૨ણે ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ થાય છે અને આમ જનતાની શાંતીમાં ખલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા દ૨મિયાન લાઉડ સ્પીકર બેફામ અને મનસ્વી રીતે વગાડવા ઉપર પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાય છે.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૩(૧) અન્વયે બહાર પાડેલ જાહેરનામા મુજબ કચ્છ જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોનાં મતદાર વિસ્તા૨માં જાહે૨માં લાઉડ સ્પીકર વગાડવા બાબતે કોઇપણ ઉમેદવારો /કાર્યકરો/સમર્થકો/રાજકીય પક્ષોએ નિયત મંચ સિવાય કોઈપણ ઉમેદવારો/કાર્યકરો/સમર્થકો/રાજકીય પક્ષોએ નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવા પ્રતિબંધ ફરમાવેલ છે. લાઉડ સ્પીકરનો ઉપયોગ ક૨તા પહેલા સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે. રાત્રિના ૧૦.00 વાગ્યાથી સવા૨ના ૦૮.૦૦ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. ફરતા વાહન પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવી અને લાઉડ સ્પીકર વગાડવા માટે પણ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી તેનો ઉપયોગ કરવાનો રહેશે.

આ જાહેરનામું સરકારી ફરજ ૫૨ના વાહનોને, ચૂંટણી અધિકારી અથવા સક્ષમ અધિકારી પાસેથી તે અર્થે પરવાનગી મેળવેલ વાહનોને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો અમલ તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી કરવાનો રહેશે.   

આ જાહેરનામાનો કોઈ ઉમેદવાર/કાર્યકર/રાજકીય પક્ષ અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા નિયમોનો ભંગ ક૨વામાં આવશે તો તે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ૧૭૬ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.