અંજારમાં ટ્રેન હડફેટે આવતા 21 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

copy image

અંજારમાં ટ્રેન હડફેટે આવતા 21 વર્ષીય યુવાનને પોતાનો જીવ ગુમાવ્યાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ એકતા નગરમાં રહેનાર તુરિયા સુલ્તાન નામનો 21 વર્ષીય યુવાન અંજારના રેલવે ફાટક પર ટ્રેન સાથે અથડાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મામલે વધુમાં મળતી વિગતો અનુસાર હતભાગીનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
